Western Times News

Gujarati News

ગુજરાતની 20 જેટલી શ્રેષ્ઠ શાળાઓને એવોર્ડ એનાયત

અમદાવાદ ખાતે શિક્ષણમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં ગુજરાત ફર્સ્ટ ન્યુઝ ચેનલ દ્વારા વિદ્યાગુરુ એવોર્ડ સમારંભ યોજાયો

અમદાવાદ ખાતે ગુજરાત ફર્સ્ટ ન્યુઝ ચેનલ દ્વારા આયોજિત વિદ્યાગુરુ એવોર્ડ સમારંભ યોજાયો હતો. જેમાં શિક્ષણમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ એવોર્ડ સમારંભમાં શિક્ષણમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે ગુજરાતની 20 જેટલી શ્રેષ્ઠ શાળાઓને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

આ સમારંભમાં શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે, શિક્ષણ વિના રાજ્યનો વિકાસ શક્ય નથી. શ્રી નરેન્દ્રભાઇએ કીધું છે કે, સમાજમાં બદલાવ લાવવો હશે તો શિક્ષણ દ્વારા જ શક્ય છે.  તેમણે કહ્યું કે, ગુજરાતમાં સૌથી વધારે લોકભાગીદારીથી ચાલતી શૈક્ષણિક સંસ્થાઓ કાર્યરત છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતમાં ત્રણ દિવસ ચાલેલા શાળા પ્રવેશોત્સવમાં લોકોનો અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો અને ખૂબ જ મોટી સંખ્યામાં શાળામાં બાળકોનું નામાંકન થયું. અંતમાં તેમણે જણાવ્યું હતું કે, આજે રાજ્યમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં શિક્ષણ ક્ષેત્રે અનેક ભગીરથ કર્યો થઈ રહ્યા છે.

આ સમારંભમાં શિક્ષણ વિભાગના સેક્રેટરી શ્રી ડો. વિનોદ રાવ, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી હિતેન્દ્રસિંહ પઢેરીયા, સિદ્ધિ મીડિયા ગૃપના ચેરમેન શ્રી મુકેશ પટેલ, ગુજરાત ફર્સ્ટ ચેનલના એડિટર શ્રી દિપક રાજાણી તથા વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ અને યુનિવર્સીટીના પ્રતિનિધિઓ સહિતના લોકો હાજર રહ્યા હતા.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.