Western Times News

Gujarati News

“પુષ્પા-૨”માં મનોજ બાજપેયીને પોલીસનો રોલ નથી મળ્યો

મુંબઈ, અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાના સ્ટારર ફિલ્મ ‘પુષ્પાઃ ધ રૂલનું શૂટિંગ જલ્દી જ શરૂ થવાનું છે. ફિલ્મના પહેલા ભાગ ‘પુષ્પાઃ ધ રાઈઝ’ની દિવાનગી હજી પણ ફેન્સના માનસપટ પર છે અને તેઓ બીજા ભાગની આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે.

દરમિયાન હાલમાં જ મીડિયામાં એવા અહેવાલો વહેતા થયા હતા કે, બોલિવુડ એક્ટર મનોજ બાજપેયીનો સંપર્ક ‘પુષ્પાઃ ધ રૂલ’માં પોલીસ ઈન્સ્પેક્ટરનો રોલ કરવા માટે કરવામાં આવ્યો છે. મનોજ બાજપેયીએ પોતાના અંગે વહેતા થયેલા મીડિયા રિપોર્ટ્‌સ પર પ્રતિક્રિયા આપી છે. ટિ્‌વટર પર શેર થયેલા એક ન્યૂઝ આર્ટિકલ હતો જેમાં મનોજ બાજપેયીનો સંપર્ક પોલીસના રોલ માટે કરવામાં આવ્યો છે તેવું લખ્યું હતું.

આના પર પ્રતિક્રિયા આપતાં એક્ટરે લખ્યું, “ક્યાં ક્યાંથી સમાચાર લાવો છો તમે લોકો?” આ સાથે જ લાફિંગ ઈમોજી શેર કર્યા હતા. ઉપરાંત તાજેતરમાં આપેલા એક ઈન્ટરવ્યૂમાં પણ મનોજ બાજપેયીએ અલ્લુ અર્જુન સ્ટારર ફિલ્મની સીક્વલમાં હોવાની વાત નકારી હતી.

મીડિયા રિપોર્ટમાં એવો પણ ઉલ્લેખ છે કે, ડાયરેક્ટર સુકુમારે ફિલ્મની સ્ક્રીપ્ટ લખી નાખી છે અને શૂટિંગ ઓગસ્ટ મહિનાથી શરૂ થશે. મીડિયા રિપોર્ટ મુજબ, ‘પુષ્પાઃ ધ રૂલ’ ડિસેમ્બર ૨૦૨૨માં રિલીઝ થવાની છે. ફિલ્મના બીજા ભાગમાં અલ્લુ અર્જુન અને ફહાદ ફાસિલ વચ્ચેનો મુકાબલો બતાવાશે.

‘પુષ્પાઃ ધ રાઈઝ’ના અંતમાં ફહાદ ફાસિલની વિલનના રોલમાં એન્ટ્રી થઈ હતી. ડિસેમ્બર ૨૦૨૧માં રિલીઝ થયેલી ‘પુષ્પાઃ ધ રાઈઝ’ સૌથી સફળ પેન-ઈન્ડિયા ફિલ્મ પૈકીની એક છે. હિન્દી, તમિલ, મલયાલમ, કન્નડ ભાષામાં આ ફિલ્મ રિલીઝ થઈ હતી.

બોક્સઓફિસ પર ફિલ્મની વર્લ્ડલાઈડ કમાણી ૩૦૦ કરોડ રૂપિયા હતી. સાઉથની ફિલ્મોમાં કામ કરવા અંગે તાજેતરમાં જ મનોજ બાજપેયીએ ઈટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું, “હું અગાઉ સાઉથની ફિલ્મોમાં કામ કરી ચૂક્યો છું.

હું હંમેશા સારી વાર્તાની શોધમાં રહ્યો છું. ફિલ્મ ૩૦૦ કરોડ, ૫૦૦ કરોડ કે ૧૦૦૦ કરોડ કમાય છે તેનાથી મને ફરક નથી પડતો. હું એ રીતે કામ જ નથી કરતો. આજકાલ બધા માત્ર બોક્સઓફિસની વાતો કરે છે. હું હંમેશાથી બોક્સઓફિસના ટ્રેન્ડનો વિરોધ કરતો આવ્યો છું.”SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.