Western Times News

Gujarati News

આશ્રમ રોડ પર મહાદેવના મંદિર પાસે જૂથ અથડામણ થતા નાસભાગ

(પ્રતિનિધિ) અમદાવાદ:  આશ્રમ રોડ પર બાટાના શો રૂમની સામે આવેલા બુટા મહાદેવ મંદીર પાસે ગઈકાલે સાંજે નજીવી બાબતે જારદાર મારામારી થતાં નાસભાગ મચી ગઈ હતી. નવરંગપુરા પોલીસે આ અંગે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસના જણાવ્યા અનુસાર આ અંગેની વિગત એવી છે કે નવરંગપુરા વિસ્તારમાં આશ્રમ રોડ પર બાટાના શો રૂમ સામે આવેલ બુટા મહાદેવના મંદિર નજીક રહેતા અને પેડલ રીક્ષા ચલાવી ગુજરાન ચલાવતા હિરાભાઈ મારવાડી અને આ જ સ્થળ ેરહેતા મુકેશ વચ્ચે ગઈકાલે સાંજે છ વાગ્યાના સુમારે જારદાર ઝઘડો થયો હતો બૂટા મહાદેવ મંદિર નજીક ફુટપાથ રહેતા મુકેશના બતકનુ બચ્ચુ રોડ પર આવી જતા.

આ જ સ્થળે રહેતા હિરાભાઈ મારવાડીએ બતકનું બચ્ચુ કોઈ વાહનની અડફેટે ન આવે તે માટે બતકનું હટાવવાનો પ્રયત્ન કરતા બચ્ચાને પથ્થર કેમ માર્યો તેવુ કહી મુકેશ અને તેની પત્ની સૂર્યાબેને હિરાભાઈ સાથે જારદાર ઝઘડો કૃયો હતો જાતજાતામં બંને જણા લાકડી અને પાઈપ સાથે સામસામે તૂટી પડતા આ સ્થળે ભેગા થયેલા લોકોએ નાસભાગ કરી મુકી હતી.

બનાવની જાણ થતા જ નવરંગપુરા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ટોળાને વિખેરી નાખ્યુ હતું જાકે આ બંને જણાને નાની મોટી ઈજાઓ પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. નવરંગપુરા પોલીસે આ અંગે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે ઉપરોકત સ્થળે ફૂટપાથ પર રહેતા લોકો વચ્ચે અવારનવાર ઝઘડા થતા હોવાથી પોલીસે ફૂટપાથ પર રહેતા લોકો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.