Western Times News

Gujarati News

માઓવાદીઓએ ટ્રેક ઊડાડી દેતા હાવડા-મુંબઈ રેલ વ્યવહાર ખોરવાયો

રાંચી, ઝારખંડના ચાઈબાસા ક્ષેત્રના ગોઈલકેરા-પોસૈતા રેલવે સ્ટેશન વચ્ચે કારો બ્રિજ નજીક રેલવેફાટક પર ભયંકર વિસ્ફોટ કરાયાની માહિતી મળી છે. અહેવાલ અનુસાર માઓવાદીઓએ બોમ્બ વિસ્ફોટ કરી આ ટ્રેકને ઉડાવી નાખ્યું હતું જેના લીધે હાવડા-મુંબઈ વચ્ચેની રેલવે લાઈન પર ટ્રેનોની અવર-જવર ઠપ થઈ ગઈ છે.

માહિતી અનુસાર ૨૨ ડિસેમ્બરે ભાકપા(માઓવાદી) એ ભારત બંધની જાહેરાત કરી હતી. એવી આશંકા છે કે આ બંધની અસર દેખાય એટલા માટે જ કદાચ માઓવાદીઓ દ્વારા આ કૃત્ય કરાયું હતું.

માઓવાદીઓએ ગુરુવારે રાતે ૧૦ વાગ્યે આ ઘટનાને અંજામ આપ્યો હોવાની જાણકારી છે. આ ઘટનાની જાણ થતાં જ શાલીમાર કુર્લા એક્સપ્રેસને ગોઈલકેરા સ્ટેશને જ અટકાવી દેવામાં આવી હતી નહીંતર મોટી દુર્ઘટના સર્જાઈ હોત. SS2SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.