Western Times News

Gujarati News

પૃથ્વી યોજના માટે ૪૭૯૭ કરોડના ખર્ચને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી

નવી દિલ્હી, કેન્દ્રીય મંત્રીમંડળે ‘પૃથ્વી યોજના’ હેઠળના અભ્યાસને વધુ ગતિશીલ બનાવવા પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના પ્રસ્તાવને મંજૂરી આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં ૨૦૨૧-૨૬ના સમયગાળા દરમિયાન લાગુ કરવામાં આવનાર પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયની વ્યાપક યોજના ‘પૃથ્વી વિજ્ઞાન’ને મંજૂરી આપી છે. આ યોજનાનો કુલ ખર્ચ ૪૭૯૭ કરોડ રૂપિયા છે.

એક અધિકારીએ જણાવ્યું છે કે, પૃથ્વી વિજ્ઞાનની વ્યાપક યોજના એમઓઆઈએસસંસ્થાઓના અભ્યાસ અને કાર્યક્રમને સક્ષમ બનાવશે. આ યોજના સંશોધન, હવામાન, આબોહવા, મહાસાગર, ક્રાયોસ્ફિયર, સિસ્મોલોજીમાં આવતા પડકારોનો સામનો કરવામાં સક્ષમ બનાવશે.

આ યોજનામાં હાલમાં પાંચ ચાલુ પેટા-યોજનાઓનો સમાવેશ થાય છે, જેમાં (૧) વાતાવરણ અને આબોહવા સંશોધન-ફોર્મેટ અવલોકન સિસ્ટમ અને સેવાઓ-એક્રોસજી, (૨) મહાસાગર સેવાઓ, ફોર્મેટ એપ્લિકેશન્સ, સંસાધનો અને ટેકનોલોજી-ઓ-સ્માર્ટ (૩) ધ્રુવીય વિજ્ઞાન અને ક્રાયોસ્ફિયર સંશોધન-પેસર (૪)સિસ્મોલોજી અને જીઓસાયન્સ-સેજ (૫) સંશોધન, શિક્ષણ, તાલીમ અને આઉટરીચ-રિચઆઉટનો સમાવેશ થાય છે.

યોજનામાં પૃથ્વી પ્રણાલી અને પરિવર્તનના મહત્વપૂર્ણ સંકેતોને રેકોર્ડ કરવા માટે વાતાવરણ, મહાસાગરો, ભૂમંડળ, ક્રાયોસ્ફિયર અને પૃથ્વીના લાંબા ગાળાના ચોક્કસ અવલોકનો વધારવા અને જાળવી રાખવાનો સમાવેશ થાય છે.

યોજનામાં હવામાનને સમજવા અને આગાહી કરવા માટે મોડેલિંગ સિસ્ટમનો વિકાસ પણ સામેલ છે. નવી ઘટનાઓ અને સંસાધનોની શોધ માટે પૃથ્વીના ધ્રુવીય અને ઉચ્ચ સમુદ્રી પ્રદેશોનું સંશોધન પણ ગતિશીલ બનશે. સામાજિક કાર્યક્રમો માટે દરિયાઈ સંસાધનો ઉણપ દુર કરી શકાશે. પૃથ્વિ વિજ્ઞાન યોજના હેઠળ નવીન ટેક્નોલોજીનો પણ વિકાસ કરાશે. SS2SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.