Western Times News

Gujarati News

ડ્રગ્ઝ મામલે અભિનેતા અર્જુન રામપાલને NCBનું સમન્સ

મુંબઈ, ડ્રગ્ઝ કેસમાં NCBએ અભિનેતા અર્જુન રામપાલને પુછપરછ માટે સમન્સ મોકલ્યું છે. એક અધિકારીએ આ વાતની જાણકારી આપી. તેમણે કહ્યું કે, અર્જુન રામપાલને 11 નવેમ્બરે હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. દરોડા દરમિયાન તેમના ઈલેક્ટ્રોનિક ગેજેટ્સને જપ્ત કર્યાં છે.

આજે જ NCBની ટીમે અર્જુન રામપાલને ત્યાં દરોડા પાડી અને તેમના ડ્રાઈવરને કસ્ટડીમાં લીધો છે. બોલીવુડમાં ડ્રગ્ઝ મામલાની તપાસ NCB કરી રહી છે.

ઉલ્લેખનિય છે કે, સુશાંત સિંહ રાજપૂતના મોત કેસની તપાસ દરમિયાન ડ્રગ્ઝ કનેક્શન સામે આવ્યા બાજ NCBએ તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે અને આ કડીમાં રિયા ચક્રવર્તિ અને તેના ભાઈ સહિત અનેક લોકોની ધરપકડ કરી હતી સાથે જ NCBએ દિપીકા પદુકોણ, શ્રદ્ધા કપુર, સારા અલી ખાન અને રકુલપ્રિત સિંહની પુછપરછ કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.