Western Times News

Gujarati News

ઉ.પ્રદેશમાં લગ્નની પહેલી રાત્રે જ વર અને કન્યાનું હાર્ટએટેકથી નિધન

પ્રતિકાત્મક

લખનૌ, ઉત્તર પ્રદેશના બહરાઈચ જીલ્લાથી એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહી નવયુગલ તેમના લગ્નના એક દિવસ બાદ મૃત હાલતમાં મળી આવ્યયું હતું. સુહાગરતના દિવસે બંનેના હાર્ટ એટેકથી મોત થયા હતાં.પોલીસના જણાવ્યા અનુસાર બંનેના મૃતદેહ સુહારાગતના દિવસે માટે સજાવવામાં આવેલી સેજ પર મળી આવ્યા હતાં.

એક રીપોર્ટ અનુસાર રર વર્ષીય પ્રતાપ યાદવના લગ્ન ર૦ વર્ષીય પુષ્પા યાદવ સાથે થયા હતાં. બે દિવસના લગ્ન સમારંભ બાદ નવયુગલ સુહાગરત મનાવવા ગયા હતા. પરંતુ બીજા દિવસે સવારે મોડે સુધી તેમના રૂમનો દરવાજાે નખુલતા પરીવાર ચિંતામાં મુકાયો હતો.

ત્યારબાદ તેમણે રૂમનો દરવાજાે તોડીને અંદર પ્રવેશ કરતા બંનેના મૃતદેહ મળી આવ્યા હતાં. કેસરગંજ પોલીસ સ્ટેશનના પ્રભારી ઈન્સ્પેકટરના જણાવ્યા અનુસાર નવયુગલના શરીર પર ઈજાના કોઈ નિશાન મળી આવ્યા નથી. પ્રારંભીક તપાસમાં સામે આવ્યું છે. કે તેમના મોત હાર્ટએટેકના કારણે થયા છે.

બીજી તરફ પોલીસ દ્વારા ફોરેન્સીક એકસપર્ટની મદદ લેવામાં આવી રહી છે. બહરાઈચ જીલ્લાના પોલીસ વડાના જણાવ્યા અઅુનસાર પોસ્ટમોર્ટમ રીપોર્ટમાં સામે આવ્યું છે. કે, દંપતીને હાર્ટએટેક આવ્યો હતો. દંપતીના મોતનું સાચું કારણ જાણવા માટે તેમના વિસેરાને લખનૌની ફોરેન્સીક સાયન્સ લેબમાં મોકલી આપવામાં આવ્યા છે. દંપતીને ગામમાં એક જ ચીતા પર અગ્નિસંસ્કાર આપવામાં આવ્યા હતાં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.