Western Times News

Gujarati News

ગુજરાતમાં ગુનાખોરી નાબૂદ કરવા રાજીવ ગાંધીએ રિબેરોને ગુજરાત મોકલ્યા ત્યારે પોલીસ પર હુમલો કરનારાઓને સીધાદોર કરી નાખ્યા હતા

ભારત દેશમાં એક ડીજીપી દરેક રાજ્યમાં કેમ સફળ થયા ઓળખો છો આ DGP જે એફ રિબેરોને?!

જર્મનીના પ્રથમ ચાન્સેલર ઓટોવાન બિસ્માર્ક એ કહ્યું છેકે કહ્યું છે કે “ઇતિહાસ લખો નહીં ઇતિહાસ રચો”!! સમગ્ર ભારત જેમને ડી.જી.પી .તરીકે ઓળખે છે અને એ છે પૂર્વ ડી.જી.પી. જે. એફ. રિબેરો તેઓ અત્યંત નીડર, કાબેલ અને કર્તવ્ય નિષ્ઠક ભારતના ડી.જી.પી? હતા! ભારતના ડી.જી.પી કેમ? કારણકે આતંકવાદ ડામવા!! માટે ગુનાખોરીનો પદાર્ફાશ કરવા માટે!! When Rajiv Gandhi sent Ribeiro to Gujarat to eradicate crime in Gujarat, he directly targeted those who attacked the police.

અને ગુનાખોરી નાબૂદ કરવા માટે કોઈપણ રાજકીય દબાણ સામે ઝુક્યા વગર અનેક પડકારોમાં સફળતાનો ઇતિહાસ રચનારામાં પૂર્વ ડી.જી.પી. જે. એફ. રીબીરો નું નામ આજે પણ ગૌરવભેર યાદ કરાય છે! ડી.જી.પી શ્રી જે.એફ. રીબીરોએ (Julio Ribeiro IPS)  દેશના અનેક રાજ્યોમાં પોલીસવડા તરીકે પોતાનું કર્તવ્ય નિષ્ઠાથી નિભાવ્યું છે! શ્રી જે એફ રિબેરો જ્યારે પંજાબના ડી.જી.પી હતા તેઓ મોર્નિંગ વોક કરી રહ્યા હતા ત્યારે તેમની પર આતંકવાદી હુમલો થયો હતો.

ગોળી તેમને સ્પર્શીને નીકળી ગઈ હતી!! અને વાગી પણ હતી પરંતુ જે. એફ. રીબેરો તરત જ ટીવી ચેનલ પર આવીને ઇન્ટરવ્યૂ આપી પોલીસનું મનોબળ વધાર્યું હતું અને પંજાબના આતંકવાદીઓને જવાબ આપ્યો હતો

તેઓને દેશના પૂર્વ વડાપ્રધાન શ્રી રાજીવ ગાંધીએ ગુજરાતમાં વકરેલી ગુનાખોરી નાબૂદ કરવા ગુજરાત મોકલ્યા ત્યારે પોલીસ પર હુમલો કરનારાઓને વળતો જવાબ આપી સીધાદોર કરી નાખ્યા હતા અને ગુજરાતને ગુનાખોરીથી મુક્ત કરાવી દીધુ હતું! દેશ તેમના આવા નિષ્ઠા ભર્યા કાર્યો માટે હમેશા યાદ કરે છે અને આમાંથી ગુજરાત રાજ્યના પોલીસ અધિકારીઓએ ઇતિહાસ રચનાની પ્રેરણા લેવાની જરૂર છે?! ખરું ને?!


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.